અહિં તેમનાં મોટાભાગનાં વિચારો તેમનું પ્રથમ અને વિશ્વપ્રસિધ્ધ પુસ્તક ‘Nature’(૧૯૩૬)માંથી રજુ કરવામાં આવ્યા છે.
પ્રત્યેક મનુષ્યનાં શિક્ષણમાં એક સમય એવો આવે છે જ્યારે તેને ખાત્રી થાય છે કે ઇર્ષા એ અજ્ઞાન છે, અને અનુકરણ એ આપઘાત છે.
આપણે શું કરી શકીએ તે આપણાં સિવાય અન્ય કોઇ જાણી શકતું નથી, તેમ આપણે પોતે પણ એ તેનાં સંબંધમાં અજમાયશ કર્યા વગર જાણી શકતા નથી.
કોઇ ક્રોધી સ્વભાવ ધરાવતો ધર્માંધ મનુષ્ય ગુલામીની પ્રથા નાબુદ કરવાનું પવિત્ર કાર્ય હાથમાં લે, અને મારી પાસે આવીને તે વિશે સમજાવવા લાગે ત્યારે મારે તેને એટલું જ કહેવું રહ્યું કે, ‘મારા ભાઇ, તારે ઘેર જઇને તારા બાળકોને પ્રેમ કર, તારા નોકર ઉપર પ્રેમ રાખ; તારો સ્વભાવ શાંત અને નમ્ર કર; કોમળ બન.’ મારૂ આ કહેવું તેને બાણ મારવા જેવું થશે, પણ સત્ય એ પ્રેમનાં દેખાવ કરતાં વધારે સુંદર વસ્તુ છે.
મારૂ જીવન એ એક દ્રશ્ય તરીકે નહિ (લોકોની નજરે સારૂ કે ખરાબ), પણ તેનાં પોતાનાં માટે છે. એ જીવન ઝગમગતુ બને એ કરતાં સહેજ ઉતરતું પણ યર્થાથ અને સમાન રહે એ વધુ ઇચ્છવા યોગ્ય છે.
મારે શું કરવું જોઇએ એટલુ જ મારે ધ્યાનમાં લેવાનું છે, નહિ કે લોકો મારી પાસે શું ઇચ્છે છે.
મનુષ્ય પોતે એવો મહાન હોવો જોઇએ કે તે સર્વ વસ્તુઓ અને સંજોગોને નજીવા કરે.
તારા સિવાય અન્ય કાંઇપણ તને શાંતિ આપી શકવાનું નથી.
મનુષ્ય સ્વાભાવિક જીવન ગાળે અને જે મુશ્કેલીઓ તેની પોતાની નથી, તેને પોતાનાં જીવનમાં સ્થાન ન આપે, તો તેનું બૌધિક જીવન નિર્મળ અને સ્વસ્થ રહે છે.
મનુષ્ય જે ધંધામાં કે વેપારમાં પડે તેની વસ્તુસ્થિતીને બને તેટલો અનુકૂળ થાય છે, અને તેમાં યંત્રની માફક કામ કરે છે. આમ કરતાં તે યંત્રવત બને છે. વ્યક્તિએ ધંધામાં પોતાનું ચારિત્ર્ય પ્રગટ કરવું જોઇએ,… એ ધંધો ક્ષુદ્ર હોય તો તેણે તેનાં પોતાનાં વિચાર અને ચારિત્ર્યથી ઉચ્ચ બનાવવો જોઇએ.
શૌર્યનું ખરૂ લક્ષણ તેની દઢ્ઢતા છે.
ગરીબ લોકો પૈસાદારોને જેટલા સુખી માને છે એટલા સુખી પોતે ખરેખર હોત તો કેવું સારૂ હોત, એમ પૈસાદારો માને છે.
ભય હંમેશા અજ્ઞાનતાથી ઉત્પન થાય છે.
