પ્રેમન બાડી ઉપજૈ, પ્રેમ ન હાટ બિકાય ।
રાજા પરજા જેહિ રૂચૈ સીસ દેહ લઇ જાય ॥
પ્રેમ કાંઇ વાડીમાં ઊગતો નથી કે બજારમાં વેચાતો નથી. રાજા કે પ્રજા જે કોઇને એ પસંદ પડે તે શિરને સાટે એ લઇ જાય.
પાની મિલે ન આપકો ઔરન બકસત છીર ।
અપન મન નિસચલ નહીં ઔર બંધાવત ધીર ॥
તારી પોતની પાસે પાણી નથી અને તું બીજાને દૂધની વાતો કરે છે? ખુદ તારૂ પોતાનું જ મન સ્થિર નથી ને બીજાને તું ધીરજની વાતો કરે છે?
બાજીગર કા બંદરા ઐસા જિઉં મન સાથ ।
નાના નાચ નચાય કૈ રાચૈ અપને હાથ ॥
મદારી માંકડાને નચાવે એ જ રીતે મન પરાધીન જીવાત્માને નચાવે છે, છતાં જીવ તો પાછો મનનાં હાથમાં જ રાજી રહે છે.
કબીર-વાણી
આપનાં પ્રતિભાવો