… મારી જાતનો ગુલામ થતાં હું સાવધાન રહીશ, કારણ કે બધી ગુલામી કરતાં એ ગુલામી કાયમી, શરમભરેલી અને આકરામાં આકરી છે. – સેનેકા
… જે માણસ પોતાની જાત ઉપર હકૂમત ચલાવી ન શકે તે સાચા અર્થમાં સ્વતંત્ર નથી. – પાયથાગોરસ
… આપણી જાતને છેતરવા જેવું સહેલું કશું નથી, કારણ કે આપણે આપણી જાતની બાબતમાં જે ઇચ્છતા હોઇએ તે ઝટ માની લેતા હોઇએ છીએ. – ડેમોસ્થિનિસ
… સ્વાર્થીપણુ એ એવો ઘૃણાપાત્ર દુર્ગુણ છે, કે જેને બીજામાં જોઇને કોઇ માફ નથી કરતું, અને જે પોતાનામાં ન હોય તેવો કોઇ માણસ નથી. – એચ. ડબલ્યુ. બીચર
… તકલીફ ઉઠાવવાની અખૂટ તાકાત એ જ બુધ્ધિમતા છે. – કાર્લાઇલ
… કેટલાક માણસો મૌન રહે છે તેનું કારણ તેમને કાંઇ કહેવાનું નથી એ નથી, પણ ઘણું કહેવાનું હોય છે, તે હોય છે. – બેકન
… સમાધાન એટલે લાડવાનાં પાંચ બટકા એવી રીતે વહેંચવા કે દરેક જણને એમ લાગે કે પોતાને જ સહુથી મોટો ભાગ મળ્યો છે. – વિનોબા ભાવે
… સાચુ બોલવાનો ફાયદો એ છે કે પછી આપણે શું બોલ્યા તે યાદ રાખવું પડતું નથી. – સેમ્યુઅલ બટલર
… જો કોઇ વ્યક્તિ મને એકવાર દગો દે તો એ દગો દેનારે શરમાવા જેવું છે, પણ જો કોઇ મને બીજીવાર દગો દે તો એમાં મારે શરમાવા જેવું છે.
… જેઓ આફતથી દૂર ભાગે છે તેઓ બમણી આફત ભોગવે છે. – પોર્ટસ
… જહોન વોનામેકર તેનાં નામની બ્રાન્ડથી પ્રખ્યાત સ્ટોરનો સ્થાપક. તેણે કહ્યું છેઃ ‘લગભગ ત્રીસ વર્ષ પહેલાં હું શીખ્યો હતો કે કોઇનેય ઠપકો આપવો એ મૂર્ખામીભર્યું કામ છે કારણ કે હું પોતે મર્યાદાઓથી ભરેલો છું, તેનાં કારણે મને ઘણી મુશ્કેલીઓ પડી છે. તેથી હું ચિડાયા વગર એમ સમજતો કે ઇશ્વરે બધાને એકસરખી બુધ્ધિની ભેટ આપી નથી-કોઇને વધારે તો કોઇને ઓછી.’ – ડેલ કાર્નેગીનાં પુસ્તક How to Win Friends and Influence Peopleમાંથી.