Posted by: રોહિત વણપરીયા | June 20, 2009

સાહિત્યની કેટલીક વાતો.

… જ્યાં મારી તર્કશક્તિ, કલ્પના અને રસનો ઉપયોગ ન થાય તેવું હું કાંઇ ભણી શકુ નહિં, ભણીશ નહિં. – વિનસ્ટન ચર્ચિલ

… ‘The power of man has grown in every sphere except over himself.’ (માનવની શક્તિ દરેક દિશામાં વિકસી છે, પણ કેવળ માનવ પર જ તેનો કાબૂ નથી.) – વિનસ્ટન ચર્ચિલ

… ‘જ્યાં સુધી માણસ સ્વતંત્ર નથી, ત્યાં સુધી તે નકામુ જીવન ગાળે છે.’ – Halldor Kiljan Laxness – Iceland ની નવલકથા Independent Peopleમાંથી.

… ઇ.સ.૧૯૫૫માં નોબલ સાહિત્ય પુરસ્કાર મેળવનાર Halldor Kiljan Laxness (Iceland)ને એકવખત વિશ્વશાંતિ વિશે પૂછતા તેણે કહેલ, ‘જુઓ, શાંતિ એ લગ્ન જેવી છે. તેમાં ‘હા’ પાડનાર બે પક્ષો જોઇએ.’

… Henri Bergson આ ફ્રેંચ તત્વચિંતકે પ્રથમ વિશ્વયુધ્ધ સમયે ફ્રાંસની એક કોલેજમાં પ્રવચન વખતે કહેલ, ‘તમે હવે કંટાળ્યા છો અને આશા છોડી દીધી છે. બીશો નહિં. હું પણ એકવખત કંટાળેલો હતો, પણ જાણે એક ઝબકારમાં મેં ભાવિનો અર્થ જોયો.’

… પેઅર લાગરકિવસ્ટ (Par Lagerkvist) નોબલ વિજેતા આ કવિ-લેખક તેનાં એક કાવ્યમાં કહે છે…

The man who is alone is the weakest,

Not because he is alone,

But because he denies,

What he bears within him.

(એકલોઅટુલો પડેલો માણસ સૌથી નિર્બળ છે. તે એકલો છે માટે નહિં, પણ તે પોતાનાં અંતરમાં જે ધરાવે છે તેને નકારે છે તેથી.)

…માણસ હોશિયાર છે કે નહિઁ તે એણે આપેલા જવાબ પરથી કહી શકીએ છીએ. એ શાણો છે કે નહિઁ તે એનાઁ સવાલો પરથી. – નજીબ મહફુઝ (નોબલ વિજેતા અરબી નવલકથાકાર)


Leave a response

Your response:

Categories