એકવાર એવું બન્યું કે હું એક મકાનમાં જેમની સાથે રહેતો હતો તેને મેં કહ્યું કે, લોકો નકલખોર હોય છે.
તેણે કહ્યુ, ‘બધા ?’
મેં કહ્યું, ‘બધા.’
તેણે કહ્યું, ‘તો તો મને દાખલો આપો.’
મેં કહ્યું, ‘તું રાહ જો.’
મેં તેને કહ્યું, ‘હવે જ્યારે કોઇ બીજી વ્યક્તિ મને મળવા આવે, ત્યારે એ જેવી પ્રવેશે કે તરત તું મારા ચરણોને સ્પર્શ કરી, ત્યાં સો રૂપિયાની નોટ મૂકજે.”
અને એવું જ બન્યું; જ્યારે બીજા લોકો મને મળવા આવ્યા, ત્રણ વ્યક્તિઓ મને મળવા આવી હતી – ત્યારે મારા મિત્રે તરત મારાં ચરણોને સ્પર્શ કરી સો રૂપિયાની નોટ મૂકી! અને પેલા ત્રણ જણે પણ મારા ચરણોને સ્પર્શ કરી સો રૂપિયાની નોટ મૂકી.
મેં એ ત્રણેને પૂછ્યું, ‘તમે આવું શાં માટે કર્યું?’
તેમણે કહ્યું, ‘શાં માટે? કારણ કે અમને લાગ્યું કે, કદાચ અમારે આવું કરવાનું હશે. જો આવું કરવાનું હોય તો તે કરવું જ જોઇએ.’
લોકો નકલખોર હોય છે. તમે મંદિરમાં, મસ્જિદમાં, દેવળમાં લોકોને નમન કરતાં જોશો… શાં માટે? … કારણ કે તમારા માતા-પિત્તા તે કરતા હતાં…
તમારે ખૂબ જ સચેત રહેવું પડશે, તમારે બે ચીજો શીખવી પડશે. એક: તમે જે ક્ષણે જુઓ છો, કે ત્યાં કાંઇક બિન અગત્યની ચીજ છે કે તરત જ તેની સામે કોઇ ધ્યાન ના આપો, તેને પસાર થઇ જવા દો. તેની સામે જોવાની પણ જરૂર નથી… જીવન બહું ટૂંકુ છે, ઉર્જા મર્યાદિત છે. મૂર્ખ ના બનશો. બિન અગત્યની ચીજો પાછળ વેડફાયા ન કરશો.
હવે બીજી: બિન અગત્યનો ત્યાગ કરવો, પછી જ આ બીજી ચીજ શક્ય છે. અગત્યની ચીજો સાથે સંવાદિતા ઉભી કરવી – તેનાંથી ટેવાય જવું.
આપનાં પ્રતિભાવો