સૂફી સંત શિબલી કહેતા:
મને સાચો માર્ગ એક કૂતરાએ બતાવ્યો છે. મેં એક કૂતરાને તળાવને કિનારે જોયો. તેને તરસ લાગી હતી પણ પાણીમાં પોતાનાં જ પડછાયાથી એ ડરતો હતો. એને એમ કે પાણીમાં બીજો કૂતરો છે. પણ તરસને કારણે એણે ડર ખંખેરી નાખ્યો અને એ પાણી પી શક્યો. હવે બીજો કૂતરો દેખાતો ન હતો. એની જરૂરિયાત વચ્ચેનાં અવરોધો દૂર થઇ ગયા હતાં. એ જ રીતે મારા અવરોધો પણ દૂર થતા ગયા, જ્યારે મેં જાણ્યું કે એ અવરોધોનું કારણ હું જ હતો.
એક વખત સંત શિબલી બીજા એક સંત થૌરીને મળવા ગયા. તેઓ એટલા સ્થિર બેઠાં હતા કે વાળ પણ ન હલે. શિબલીએ પૂછ્યું, ‘આટલી સ્થિરતા તમે ક્યાંથી શીખ્યા?’ થૌરીએ જવાબ આપ્યો, ‘એક બિલાડા પાસેથી. જ્યારે તે ઉંદરનાં દરને જોતો હતો ત્યારે આથી પણ વધારે ધ્યાનથી એ જોતો હતો.’
i likeed
By: abdulvahiddudhwala on March 13, 2012
at 1:15 pm