Posted by: રોહિત વણપરીયા | September 25, 2009

Anne Morrow Lindbergh…શંખમાંથી મળેલા જીવન-અર્થ ‘Gift from The Sea’ પુસ્તકરૂપે પ્રસિધ્ધ

Anne Morrow Lindbergh…શંખમાંથી મળેલા જીવન-અર્થને તેમણે ‘Gift from The Sea’ પુસ્તકરૂપે પ્રસિધ્ધ કર્યા છે.

અમેરિકન લેખિકા Anne Morrow Lindbergh (એન મરો લિંડબર્ગ (1906-2001))એ એક પુસ્તક લખેલ છે : ‘Gift from The Sea’ (ઇ.સ. 1955). પાંચ બાળકોની માતા એનએ જીવનમાં એકાંતને સૌથી વધારે મહત્વ આપ્યું છે, પણ સાથે સાથે એ એમ પણ માને છે કે આવું જરૂરી એકાંત માણીને ફરી પાછું જીવનસંગ્રામમાં પાછા પણ ફરવું જોઇએ. ચાર્લસ લિંડબર્ગ (પાઇલટ) સાથે લગ્ન કર્યા પછી એન વિમાન ચલાવતા શીખી અને, અમેરિકાની સહુથી પ્રથમ સ્ત્રી ગ્લાઇડર પાઇલટનું લાઇસન્સ મેળવ્યું. લેખિકા સાગરકિનારે એકાંત માણવા જાય છે, બાળકની માફક શંખ એકઠા કરે છે અને એ વિણેલા શંખમાંથી જીવનનાં જુદાજુદા અર્થ મેળવે છે. શંખમાંથી મળેલા જીવન-અર્થને તેમણે ‘Gift from The Sea’ પુસ્તકરૂપે પ્રસિધ્ધ કર્યા છે. એમાંનાં કેટલાક અંશો…

GiftFromTheSeaCover 149627main_Anne_Lindbergh Charles&Anne Zcca

બીજી બધી અભિલાષાઓને અંતે અંત:કરણમાં શાંતિ મેળવવી એ જ મારા જીવનનું ધ્યેય છે.

હું જે ઇચ્છું છું તે સોક્રેટસે એક વખત પ્રાથનામાં ગાયું હતું તેનાં જેવું હશે; એ પ્રાથનામાં સોક્રેટિસ માંગે છે કે, ‘મનુષ્યનું બાહ્ય સ્વરૂપ અને અંતરનું સ્વરૂપ એક બનો.’ એવી સ્થિતિ હું પ્રાપ્ત કરી શકું એમ હું ઇચ્છું છું.

પરંપરાથી સ્ત્રીને શીખવવામાં આવે છે કે તેનું જીવન બીજાને આપવા માટે છે. અને સ્ત્રી સ્વભાવ જ એવો હોય છે કે પોતાનું જે કંઇ હોય તે બીજાને આપી દેવું. સનાતનકાલથી સ્ત્રી, તરસ્યાને ખોબે ખોબે પાણી પાતી આવી છે. ક્વચીત જ એને જીવનનો ઘડો શાંતિથી પૂરેપૂરે ભરવાનો સમય મળે છે.

સ્ત્રીને સ્વભાવગત આપવું ગમે છે. છતાં કોઇ હેતુ વગર પોતાનાં જીવનનાં ટૂકડા બનાવી એને આપવા નથી ગમતા.

જર્મન લેખક વિલિયમ જેમ્સનાં શબ્દોમાં કહીએ તો, ‘સ્ત્રીનાં જીવનનાં, ચારે તરફથી ખેંચતાણથી, ટૂકડા થઇ રહ્યાં છે અને હજી સહસ્ત્ર ટૂકડા થતા જશે.’

…પણ સ્ત્રીઓ અને પુરૂષો હંમેશ પ્રથમ પ્રેમમાં અનુભવેલું સુખ ભોગવવાની આશા રાખ્યા કરે છે તેથી જીવન વધારે આંટીઘૂંટીમાં ગૂંચવાઇ જાય છે.

… જ્યારે માતા પોતાનાં સ્તનમાંથી શિશુને દૂધ પાય છે ત્યારે, માત્ર બે જ જણ માટે દુનિયા અસ્તિત્વમાં હોય એવી લાગણી તેને થાય છે…

પ્રથમ પ્રેમની ભાવના ફરી અનુભવવી હોય તો જે સંજોગોમાં પ્રેમ ઉદભવ્યો હોય તે સંજોગો પાછા ઊભા કરવાની કોશિશ કરવી જોઇએ… પતિ-પત્નીએ કુટુંબજીવનમાંથી રજા લઇ એકલા (બાળકોને મૂકીને) બહારગામ જવું જોઇએ.

આરંભમાં દરેક સંબંધ સરળ લાગે છે. ન કોઇ બંધન, અધિકારનો પ્રશ્ન, જવાબદારીનો ભાર કે ભવિષ્યની ચિંતા અને ભૂતકાળ ભુલાઇ જાય છે…. અને પછી એ સંપૂર્ણ ઐક્ય ઉપર અવશ્ય સત્વર આક્રમણ આવે છે. સંબંધનું સ્વરૂપ બદલાય છે. એમાં ગૂંચવણો ઊભી થાય છે.

દરેક પોતાની જરૂરિયાત પ્રમાણે બનેલા હોય છે અને જીવનસંગ્રામમાં જીતી શકે એ રીતે ઘડેલા હોય છે.

કલામય ગોઠવવાથી સુંદર ચીજ શોભી ઊઠે છે. તે જ પ્રમાણે માણસો અને વસ્તુઓ યોગ્ય સ્થાને હોય તો શોભાયમાન અને અર્થસૂચક લાગે છે.


Responses

  1. ખરેખર સારી રમુજો હતી.

    અભિનંદન, સારો બ્લોગ છે.

    હેમંત જાની

    લંડન, યુકે.


Leave a response

Your response:

Categories