Posted by: રોહિત વણપરીયા | September 29, 2009

‘The 3 Mistake of My Life’ By ચેતન ભગત વિશે થોડુક…

હોંગકોંગમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે કામ કરતાં લેખક એવા ચેતન ભગતને તેમની Mail-ID પર ૨૮-૧૨-૨૦૦૫નાં દિવસે એક Mail મળે છે. આ Mail અમદાવાદનાં એક યુવકે (Businessman)કર્યો હોય છે અને તેમાં તે આત્મહત્યા કરવા જઇ રહ્યો છે, એવી કબૂલાત હોય છે. લેખક તેમનાં સંપર્કોનો ઉપયોગ કરીને માત્ર આ Mail-ID પરથી એ યુવકને શોધી કાઢે છે. અમદાવાદ આવીને તેની મુલાકાત પણ લે છે. એ યુવાન બચી જાય છે. એ યુવાન Businessman ગોવિંદ પટેલની કથા ઉપરથી લેખકે જે નવલકથા લખી છે તે: ‘The ૩ Mistake of My Life’.

The-3-Mistakes-of-My-Life-book-cover-328x500 chetan bhagat

બેસ્ટ સેલર થયેલી આ એમની ૩જી નવલકથા છે. એ પહેલાની બે ‘Five Point Someone’ અને ‘One Night @ The Call Centre’ આજે પણ બેસ્ટ સેલર બુક ગણાય છે. ‘New York Times’એ આ લેખકને ભારતનાં સૌથી વધુ વંચાતા લેખક તરીકે ઓળખાવ્યા છે.

એમની Bisuness, Cricket અને Religion સાથે સંકળાયેલી આ નવલકથા ‘The 3 Mistake of My Life’ તો તમારે વાંચવી જ રહી. મને ગમેલા એમાનાં કેટલાક અંશો આપની સમક્ષ…

લાગણીશીલ લોકો તદન નકામા વેપારી હોય છે.

બિઝનેસ કરવા બાબતે મારો રસ ત્યારે વધ્યો જ્યારથી મેં ટ્યૂશન કરવાં શરૂ કર્યાં. પૈસા વધતા જોવાનો એક વિશિષ્ટ આનંદ હતો. પૈસા સાથે કૂલર કે સોફા જેવી વસ્તુઓ જ માત્ર આવતી ન હતી, પણ મહત્વની બાબત મળતી હતી – સન્માન!

મને લાગે છે કે ભારતીય માતાઓનાં બે જ કામ છે – તેમનાં બાળકોને વધારે ખાવાનું આપવાનું અને વધારે ભણવાનું કહેવાનું.

એકવાર જો લડાઇ ઊભી થઇ તો તેમાંથી બીજી લડાઇ ઊભી થશે જ. તમે તેને નિયંત્રિત ન કરી શકો.

દુનિયામાં એવો કોઇ વેપારી નથી જેણે ક્યારેય પણ પૈસા ગુમાવ્યા ન હોય. એવો કોઇ નથી જે સાઇકલ શીખતી વેળા પડ્યો ન હોય. એવો પણ કોઇ નથી જેણે દુ:ખી થયા વિના પ્રેમ કર્યો હોય. આ તો બધુ રમતનો એક ભાગ છે.

મીડલ ક્લાસ મા-બાપ જેવી વાતો ન કર. પૈસા ગુમાવવાની બીકે તેઓ પોતાનાં બાળકોને સલામત આવક મેળવવા આખી જિંદગી બીજાની ગુલામી કરવા કહે છે.

ભારત સ્વપ્નાં જોવાની ભૂમિ નથી. ખાસ કરીને જ્યારે તમે એકવાર નિષ્ફળ ગયા હો. હવે હું હિન્દુ તત્વજ્ઞાનનાં ડહાપણને સમજી શક્યો કે વધારાની ઇચ્છા રાખવાનાં બદલે તમને જે મળે છે તેમાં સંતોષ માનો. ઋષિઓએ નવરાશમાં શોધેલ આ કોરૂ તત્વજ્ઞાન ન હતું, પણ જે દેશમાં ઇચ્છાઓને સતત કચડવામાં આવે છે. તેમાં ટકવાનો મંત્ર હતો.

આત્મવિશ્વાસથી ભરપૂર વહુઓ ખતરનાક વહુઓ બની શકે છે.


Responses

  1. ખુબ જ મજાની નવલકથા છે. મે આ નવલકથા ગુજરાતી ભાષાંતરમાં વાંચી હતી,જે હરેશ ધોળકિયા એ કર્યું છે.


Leave a response

Your response:

Categories