ચિત્રકાર પિકાસો કહેતો…
ચિત્રકામ મારા કરતાં વધુ શક્તિશાળી છે, એને ફાવે એ મારી પાસે કરાવે છે….
ઇશ્વર, ખરેખર અનોખો કલાકાર છે. મારા જેવા કલાકાર તો ઇશ્વરની નાનકડી પ્રતિકૃતિ જ છે.
ઢોલનગારા વગાડીને કુંભકર્ણને જગાડવામાં આવ્યો અને જાગીને તેણે જાણ્યું કે સીતાહરણને પરિણામે તેને જગાડવામાં આવ્યો છે ત્યારે તેણે રાવણને કહ્યુ, ‘મોટાભાઇ, મેં ઊંઘમાં શું ગુમાવ્યું અને આપે જાગીને શું મેળવ્યું?’
…(શાહબુદીન રાઠોડનાં પુસ્તકમાંથી)
હું નાનો હતો ત્યારે આખી રાત કુરાન પઢતો બેઠો હતો. મારી બાજુમાં કેટલાક માણસો પડ્યા પડ્યા ઘોરતા હતાં. આ જોઇ મેં કહ્યું, ‘જુઓને અબ્બાજાન, આ લોકો કેવા છે? ખુદાને નમાજ પઢવી તો બાજુએ રહી. કોઇ માથુયે ઊંચુ કર્યા વગર કેવા ઘોરે છે?’
આ સાંભળીને પિતાજી બોલ્યા, ‘બેટા, તું પણ આ લોકોની માફક ઊંઘી ગયો હોત તો સારૂ હોત. જેથી તું પારકાઓની નિંદા કરવામાંથી બચી જાત.’ – શેખ સાદી
એકવાર એક રાજવીએ આવીને ફકીરને પૂછ્યું, ‘ફકીરબાબા, આપ મને કદી યાદ કરો છો ખરાં?’
ફકીરે જવાબ આપ્યો, ‘હા, જ્યારે હું મારા ખુદાને ભૂલી જાઉં છું, ત્યારે તમે યાદ આવો છો.’
- શેખ સાદી
મૂક ફિલ્મો પછી બોલતી ફિલ્મો આવી ત્યારે એ વિશે રશિયાનાં લેનિને કહેલ, ‘જ્યારે આ કળાનો વિકાસ થશે ત્યારે એ બીજી બધી કળાઓને પાછળ મૂકી દેશે.’
જેમ-જેમ વસતી વધતી જશે, પાક ઉત્પાદન માટેની જમીન ઓછી થશે, તેમ અનાજનાં ભાવોમાં છેવટે વધારો થયા વિના રહેવાનો નથી… અનાજ એટલું બધુ મોંઘુ બનશે કે સામાન્ય રોજી રળનાર પાસે બીજી વસ્તુઓ પાછળ ખર્ચ કરવા માટે બહુ ઓછી રકમ ફાજલ હશે. – બર્ટ્રાડ રસેલ (‘Roads to Freedom’માંથી)