Posted by: રોહિત વણપરીયા | October 8, 2009

થોડુક ગ્રીક તત્વચિંતન…

ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલ (ઇ.સ.પૂર્વે ૩૮૪-૩૨૨) સિકંદરનાં ગુરૂ હતાં. એ સમયે સિકંદરનાં શિક્ષણ માટે તેને સિકંદરનાં પિતાએ જે રકમ આપી હતી તેને આજનાં મૂલ્યમાં ગણીએ તો કરોડો રૂપિયા થાય એવી હતી. આ એરિસ્ટોટલે પોતાની સંસ્થામાં પગારદાર તરીકે ૧૦૦૦થી વધુ મદદનીશો રાખ્યા હતાં. તેણે કહ્યું છે કે,

ઇશ્વર જગતનો કર્તા નથી, પણ જગતની ગતિનું કારણ છે.

સહિયારી સંપતિ અને કુટુંબવિહીન સમાજ વ્યવસ્થા ભારે અંધાધૂંધી અને ગુનાખોરી ફેલાવશે. જે સૌનું સહિયારૂ હશે તેની કોઇને દરકાર હશે નહિ.

માણસ માટે રાજ્ય છે, નહિ કે રાજ્ય માટે માણસ.

માણસનો જન્મ એકમાત્ર હેતુ માટે થયો છે – સુખી થવા માટે. સુખનો અર્થ આપતા તે કહે છે કે શુભ કાર્યો કરવાથી જે મન:સ્થિતી ઉપજે છે તેનું નામ જ સુખ.

ગ્રીક તત્વચિંતક એપિક્યુરસ (ઇ.સ.પૂર્વે ૩૪૨-૨૭૦). એથેન્સમાં એમની શૈક્ષણિક સંસ્થામાં શિષ્યો, ધનિકો, ગુલામો, વેશ્યાઓ બધા સાથે શીખતા અને સમાન દરજ્જાથી સાથે રહેતા. તે કહેતો,

હું કોણ છું અને હું જે કાંઇ છું તે શાં માટે છું ? એવો પ્રશ્ન દરેક મનુષ્યને થવો જોઇએ.

આપણે સૌ ઇશ્વરનાં સંતાનો છીએ એવી વાતો તદન વાહિયાત છે.

સૌ પ્રથમ તો આપણે આપણાં મગજમાંથી બે ભયને નિર્મૂળ કરવા જોઇએ. એક: ઇશ્વરનો ભય અને બે: મૃત્યુનો ભય. આ બંને ભય થકી જ માનવજાત પરેશાન છે.


Leave a response

Your response:

Categories