જે લોકો ભાવુક હોય છે અને સદાય રોતા જ રહે છે તેઓ રોતા જ રહે છે, પણ જે લોકો હસવાનું શીખી લે છે તેઓ ક્યારેક ક્યારેક હસતાં-હસતાં એમની જિંદગી બદલી પણ નાખે છે. – ‘સૂરજ કા સાંતવા ઘોડા’માંથી… ધર્મવીર ભારતી
માણસને લાગતો એક મોટામાં મોટો ભય/ડર એ ટોળામાંથી અલગ પડી જવાનો ભય છે. એ ટોળું એની જ્ઞાતિ, સમાજ કે ગામ, ગમે તે હોઇ શકે છે. – બટ્રાન્ડ રસેલ
જે જ્ઞાન મનને શુધ્ધ કરે છે એ જ જ્ઞાન છે, બાકી તો અજ્ઞાન છે. – રામકૃષ્ણ પરમહંસ
માનવી કેવળ રોટી અને કપડાંને આધારે નથી જીવતો. સારૂ જીવન જીવવા માટે એ ઉપરાંત પ્રેમ, ભાવના, હૂંફ જેવા ઘણાં તત્વોની જરૂર હોય છે. આપણે માણસ છીએ, પ્રાણી નહિં, અને આપણે જ્યારે માણસ તરીકે જીવીએ છીએ ત્યારે અતિવાસ્તવિક (Total Practicle) અભિગમ આપણને ફરીથી પ્રાણીની જ કક્ષાએ લાવી દે છે. – જૂર્લેવન
સુખદ અને શાંતિની પળોનું એક અપલક્ષણ હોય છે, એ ઝડપથી પસાર થઇ જાય છે. એનાં પછી આવતાં દુ:ખ કે મુશ્કેલીઓને એવી કોઇ જ ઉતાવળ હોતી નથી, એ તો નિરાંતે જ જાય છે, છતાં જાય છે એ નિશ્ચિત છે. – ‘A Floating City’માંથી.. જૂલ્ઝ ગ્રેબિયાલ વર્ન (જૂર્લેવન)
આપણી મરજી વિરૂધ્ધ મુકાયેલો અંકુશ પરાધીન કરે છે. પોતાની મેળે મુકાયેલો અંકુશ આપણી ખરી સ્વતંત્રતા વધારે છે. – નવનીત સમર્પણ ડિસે.૨૦૧૦
પોતે ઊંચે ન ચડી શકનાર માનવી પોતાનાંથી ઊંચાને નીચે ઘસડીને તૃપ્તિ મેળવે છે… – ‘એક જ ડૂબકી’ વાર્તામાંથી…લે.ઝવેરચંદ મેઘાણી
જે માણસ અસત્ય બોલતા ડરે છે એને બીજા કશાંથી ડરવાની જરૂર રહેતી નથી. – ફ્રાઉડ
જો આપણે આર્શિવાદસમાન તક જતી કરીએ તો એ શાપ બની જાય છે. – THE ALCHEMISTમાંથી… પોલો કોયેલો
જ્યારે આપણે આપણી જાતને સુધારીએ છીએ ત્યારે આપણે આપણી આજુબાજુનાં વાતાવરણ અને દુનિયાને પણ સુધારતા હોઇએ છીએ. – THE ALCHEMISTમાંથી… પોલો કોયેલો
આપણી મરજી વિરૂધ્ધ મુકાયેલો અંકુશ પરાધીન કરે છે. પોતાની મેળે મુકાયેલો અંકુશ આપણી ખરી સ્વતંત્રતા વધારે છે. – નવનીત સમર્પણ ડિસે.૨૦૧૦
પોતે ઊંચે ન ચડી શકનાર માનવી પોતાનાંથી ઊંચાને નીચે ઘસડીને તૃપ્તિ મેળવે છે… – ‘એક જ ડૂબકી’ વાર્તામાંથી…લે.ઝવેરચંદ મેઘાણી
By: Kalpesh Sathwara on March 2, 2011
at 5:33 pm