Posted by: રોહિત વણપરીયા | October 12, 2011

Lloyd Shearer/લોઇડ શિરરનાં જીવન ઉપયોગી કેટલાક સંકલ્પો

Lloyd Shearer. અમેરિકન કોલમનિસ્ટ. ખાસ તો હોલિવુડનાં હિરો-હિરોઇન અને રાજકારણીઓનાં ઇન્ટરવ્યૂ માટે પ્રખ્યાત થયેલ. લાખો વાંચકોમાં લોકપ્રિય એવા આ લેખકને વાંચકો તરફથી દર અઠવાડિયે સરેરાશ પાંચ હજાર પત્રો મળતાં. 84 વર્ષની વયે હાર્ટ એટેકથી એમનું મૃત્યુ થયું હતું. એ લોઇડ શિરરનાં જીવન ઉપયોગી કેટલાક સંકલ્પો.

બીજા બધા સુખ કરતાં તમારા શરીરનું સુખ સર્વાધિક છે એ ક્યારેય ના ભૂલો. તબીયતનું ખાસ ધ્યાન રાખો, કેમકે સ્વાસ્થ્ય વગર સાચુ સુખ અસંભવ છે.

હંમેશા બીજાઓને મદદ કરવાની ભાવના અને સંકલ્પ રાખો. એથી લોકોની મદદ પણ તમને મળતી રહેશે.

આ જગતમાં કોઇ અમર નથી. મૃત્યુ નિશ્ચિત છે. એટલે મરતા પહેલા સંકલ્પ કરો કે જીવનમાં અમુક મૂલ્યો તો તમે જાળવશો જ.

ગુસ્સાવાળા અને તીખા સ્વભાવવાળાઓથી હંમેશા દૂર રહો. સજ્જનો પાસેથે મળતું દુ:ખ સારૂ પણ દુર્જનની કૃપા નકામી.

કોઇપણ ભોગે, કાંઇપણ કરીને સફળતા મેળવવા માંગતા લોકોથી દૂર રહો.

સલાહો ક્યારેય ન આપો. ડાહ્યા અને શાણા લોકોને તેની જરૂર નથી અને મૂર્ખાઓ તે માનવાનાં નથી.

સંઘર્ષ કરનારની નિષ્ફળતા કે અસફળતામાં ક્યારેય ખુશ ન થાઓ કે એમની મજાક ન કરો. કેમ કે જીવનમાં તમે પણ ક્યારેક આવી સ્થિતિમાં હતાં અથવા તો આવવાનાં છો.

સફળતા અને ધનને એકસરખા ન માનો. યેનકેન પ્રકારે સંપતિ મેળવનાર દુ:ખી અને માનવ તરીકે નિષ્ફળ પણ હોય શકે છે. એટલે જ સફળતા કેવી રીતે, ક્યાં માર્ગે મેળવી છે એ મહત્વનું છે.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.